વાંકાનેરમાં કનેક્શન માટે ધમકાવીને લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બે કર્મચારી ઝડપાયા
મોરબીમાં ગરબી ચોકને લગતી ફરિયાદો આપો એટ્લે અઠવાડિયામાં નિકાલ: કાંતિલાલ અમૃતિયા
SHARE
મોરબીમાં ગરબી ચોકને લગતી ફરિયાદો આપો એટ્લે અઠવાડિયામાં નિકાલ: કાંતિલાલ અમૃતિયા
આગામી દિવસોમાં માતાજીનાં નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે નવરાત્રિની ગરબી જે કોઈ પણ વિસ્તારમાં કરવામાં આવે છે ત્યાં જે કોઈ પણ સમસ્યા હોય તેની ફરિયાદ કરવામાં આવે એટ્લે એક જ અઠવાડીયામાં તેનો નિકાલ કરશે તેવું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે
મોરબી પાલિકાએ નવરાત્રીને ધ્યાને રાખીને ખાસ ઝુંબેશ શરૂ કરી છે તેની માહિતી આપતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું છે કે, નવરાત્રીની ગરબી જે વિસ્તરમાં થતી હોય ત્યાં અને જુદાજુદા વિસ્તારમાં લાઈટ, રોડ કે ગ્રાઉન્ડમાં સફાઈ તેમજ ભૂગર્ભ ગટરના પ્રશ્ન હોય તો આ પ્રશ્નને બુધવારે મોરબી પાલિકામાં આપવામાં આવશે તો ગુરુવારે બેઠક કરીને અઠવાડિયામાં તેનો નિકાલ કરવામાં આવશે