મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પદયાત્રીઓને ઠંડાપીણાનું વિતરણ કરાઈ
SHARE
મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પદયાત્રીઓને ઠંડાપીણાનું વિતરણ કરાઈ
નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ પગપાળા કચ્છમાં આવેલ આશાપુરા મંદિરનાં દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને મોરબીથી ભચાઉ સુધી બોલેરો ગાડી લઈને અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યોએ પદયાત્રીઓને ઠંડાપીણાની બોટલો પહોચાડી હતી ત્યારે મુકેશભાઈ આંખજા, બ્રિજેશભાઈ, નવલભાઈ હર્ષદભાઈ, જગદીશભાઈ સહિતના ગ્રુપના સભ્યો જોડાયા હતા.