મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક


SHARE







મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક

મોરબીના યુવા અને પ્રતિભાશાળી ડો.આશિષ ત્રિવેદીની તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડો આશિષ હાલ બીએએમએસ ડોક્ટર એસોસિએશન, મોરબી વૈધ સભા તથા બીજેપી ડોક્ટર સેલ મોરબીના કન્વીનર તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ અગાઉ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં મેડિકલ ક્ષેત્રે આ અત્યાર સુધીની સૌથી મોટી નિમણુંક છે અને નિમણુંક પામેલા તમામ ચાર સભ્યોમાં આશિષભાઈ સૌથી યુવા ચહેરો છે.

તેઓની નિમણુંકને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા તથા બીજેપી ડોક્ટર સેલના પ્રદેશ કન્વીનર ડો ધર્મેન્દ્ર ગજ્જર, સહકન્વીનર ડો.શીરીષ ભટ્ટ, ડો.અતુલ પંડ્યા, ડો.જયંતિભાઈ ભાડેસીઆ, ડો.વિજયભાઇ ગઢીયા, ડો.ચેતન અઘારા, ડો.જીતેશ દઢાણીયા, ડો.બી.કે.લહેરૂ, ચેતનભાઈ પંચોલી, ડો.અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના અનેક આગેવાનોએ વધાવીને અભિનંદન પાઠવ્યા છે.






Latest News