મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક
SHARE
મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક
મોરબીના યુવા અને પ્રતિભાશાળી ડો.આશિષ ત્રિવેદીની તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડો આશિષ હાલ બીએએમએસ ડોક્ટર એસોસિએશન, મોરબી વૈધ સભા તથા બીજેપી ડોક્ટર સેલ મોરબીના કન્વીનર તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ અગાઉ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં મેડિકલ ક્ષેત્રે આ અત્યાર સુધીની સૌથી મોટી નિમણુંક છે અને નિમણુંક પામેલા તમામ ચાર સભ્યોમાં આશિષભાઈ સૌથી યુવા ચહેરો છે.
તેઓની નિમણુંકને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા તથા બીજેપી ડોક્ટર સેલના પ્રદેશ કન્વીનર ડો ધર્મેન્દ્ર ગજ્જર, સહકન્વીનર ડો.શીરીષ ભટ્ટ, ડો.અતુલ પંડ્યા, ડો.જયંતિભાઈ ભાડેસીઆ, ડો.વિજયભાઇ ગઢીયા, ડો.ચેતન અઘારા, ડો.જીતેશ દઢાણીયા, ડો.બી.કે.લહેરૂ, ચેતનભાઈ પંચોલી, ડો.અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના અનેક આગેવાનોએ વધાવીને અભિનંદન પાઠવ્યા છે.