ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે મંગળવારે બે નાટક યોજાશે
SHARE
મોરબીના લજાઈ ગામે ગાયો માટે દર વર્ષે નાટક કરવામાં આવે છે તેવી જ રીતે આગામી મંગળવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં "દક્ષ યજ્ઞ યાને ઉમાસતીનો અગ્નિપ્રવેશ" સાથે હાસ્ય રસીક કોમીક પણ રજૂ કરવામાં આવશે
ટંકારા તાલુકાના લજાઈ ગમે ઈ.સ.૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોનાં ગોંદરે થયેલ સંકલ્પ “અમારી ગાય કતલ ખાને કદી ન જાય" નિરાધાર અંધ અપંગ ગાયોનાં લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસીક નાટક "દક્ષ યજ્ઞ યાને ઉમાસતી નો અગ્નિપ્રવેશ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૭/૧૦ ને મંગળવારના રોજ રાતે ૧૦:૦૦ કલાકે લજાઈ ગામનાં ગાયોનાં ગોંદરે આ બંને નાટક ભજવવામાં આવશે જેનું આયોજન સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના લોકોને તેમજ આસપાસના લોકોને ત્યાં આવવા માટે જાહેર આમંત્રણ આપેલ છે