મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી અધ્યયન મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર: બૌદ્ધિક વર્ગ યોજાયો


SHARE













મોરબી અધ્યયન મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર: બૌદ્ધિક વર્ગ યોજાયો

હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે

મોરબીમાં માસિક બૌદ્ધિક વર્ગમાં પૂરાં વિશ્વમાં ૫૧૬૦ વર્ષ પહેલાં એટલે મહાભારતના યુદ્ધ પહેલાં વૈદિક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. કાળક્રમે વિશ્વના અન્ય દેશોમાં વૈદિક સંસ્કૃતિ કેવી રીતે નાશ પામી અને અત્યારે પણ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના અવશેષો,પૂરાવા, શિલાલેખો, સાહિત્ય પૂરાવાઓની વિશદ છણાવટ કરવામાં આવી હતી, ઉપરોક્ત વિષય અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશભાઈ પનારાએ પ્રસ્તુત કર્યો હતો. અધ્યયન મંડળ મોરબીના સહસંયોજક તરીકે વિજયભાઈ રાવલ અને મિલનભાઇ પૈડા દાયિત્વ સંભાળે છે. આ કાર્યક્રમ માટે એપલ હોસ્પિટલ મોરબીના ડોક્ટરોએ વિના મૂલ્યે કોન્ફરન્સ હોલ તથા પ્રોજેક્ટર વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી 






Latest News