મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં દીવાલ માટે થયેલ મારા મારીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના મહેન્દ્રનગરમાં દીવાલ માટે થયેલ મારા મારીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે થોડા દિવસો પહેલા સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે મારા મારી કરવામાં આવી હતી અને તેની સામસામે ફરિયાદો નોંધવામાં આવેલી હતી આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં મહિલા સહિત વધુ બે આરોપીને પકડ્યા છે

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) એ વિનોદ નાનજી ચાવડાચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા રહે. તમામ મહેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારો કરી ઇજા કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં મહિલા આરોપી રમીલાબેન નાનજી ચાવડા રહે. મહેન્દ્રનગર વાળીની ધરપકડ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી રમીલાબેન નાનજીભાઈ ચાવડા (૪૬) એ નવીન મીઠા મકવાણાસવિતાબેન મકવાણા રહે. બંને મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો વિનોદ તથા તેઓ સામેવાળાઓને દિવાલ બાબતે સમજાવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને વિનોદભાઈને મારવા જતા પોતે વચ્ચે પડતાં લાકડી વડે માર માર્યો હતો તેમજ વિનોદભાઈ સહિતના સાહેદોને પણ ઢીકાપાટુંનો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી નવીન મીઠા મકવાણાની ધરપકડ કરેલ છે






Latest News