મોરબીના શનાળા રોડે સરદાર બાગ સામે બાળકોની ચકરડીમાં આગ લાગતાં નુકશાન
મોરબી જીલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ, રણજીતગઢ, કાંતિપુર અને તરઘરી ગામે સફાઈ ઝુંબેશ
SHARE
મોરબી જીલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ, રણજીતગઢ, કાંતિપુર અને તરઘરી ગામે સફાઈ ઝુંબેશ
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે જિલ્લામાં વિવિધ ગામડાઓમાં નદી, તળાવ તેમજ ધાર્મિક સ્થળોની આસપાસમાં સ્વચ્છતા માટે અભિયાન કરવામાં આવી રહ્યું છે
સમગ્ર રાજ્ય જ્યારે સ્વચ્છતા એજ સેવા અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના નદી તળાવ તેમજ દરિયા કિનારા સ્વચ્છ અને રળિયામણા બને ત્યાંનો વિસ્તાર સુંદર બને તેમજ પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બને તેવા હેતુથી નદી-તળાવ વગેરેની આસપાસ તેમજ કાંઠાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે હાલ મોરબી જિલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ, રણજીતગઢ સહિતના ગામડાઓમાં નદી તેમજ તળાવના કાંઠાના વિસ્તારોની સાફ સફાઈ હાથ ધરી હતી અને આ વિસ્તારને રળિયામણા બનાવવામાં આવ્યા છે. તેમજ મોરબી તાલુકાના કાંતિપુર ગામે ગ્રામ પંચાયત પરિસર તેમજ આસ-પાસના વિસ્તારની સાફ સફાઈ કરી વિસ્તાર સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. તો માળીયા તાલુકાના તરઘરી ગામે ધાર્મિક સ્થળોની આસપાસમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.