મોરબી જીલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ, રણજીતગઢ, કાંતિપુર અને તરઘરી ગામે સફાઈ ઝુંબેશ
મોરબીના ઝૂલતા પુલ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો-કંપનીને આરોપી બનાવવાની અરજીની વધુ સુનાવણી પહેલી નવેમ્બરે
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો-કંપનીને આરોપી બનાવવાની અરજીની વધુ સુનાવણી પહેલી નવેમ્બરે
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી વિકટીમ એસો.ના સભ્ય દ્વારા અરજી કરવામાં આવી છે જે અરજીની વધુ સુનાવણી આગામી તા ૧ નવેમ્બરના રોજ રાખવામા આવેલ છે
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું હતું જેથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં રકમ જમા કરાવી દેવામાં આવી છે જો કે, મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી જે અરજીમાં ફર્ધર તપાસનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબે ફર્ધર તપાસ કઈ બાબતની કરવાની છે ?, શું તપાસ કરવાની જરૂર છે ? તેવા સવાલ કર્યા હતા જેથી વિકટીમ એસો.ના વકીલ દ્વારા તમામ સ્પષ્ટતા સાથે આગામી સુનાવણી સમયે સુધારા અરજી આપવામાં આવશે તેવું જાણવા મળેલ છે અને જેથી કરીને કોર્ટે આગામી વધુ સુનાવણી તા ૧/૧૧ ના રોજ રાખેલ છે









