ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સી.આર. પાટિલની હાજરીમાં યોજાનરા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ


SHARE













મોરબીમાં સી.આર. પાટિલની હાજરીમાં યોજાનરા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવનારા છે જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તા ૧૯ ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે તે કાર્યક્રમની માહિતી આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જિલ્લાના પ્રમુખે જણાવ્યુ હતું કે, ૭૦૦૦ થી વધુ કાર્યકરો આ કાર્યક્રમમાં આવવાના છે અને અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમ કાર્યલય સાત મહિનામાં બની જશે

રાજ્યના દરેક જીલ્લામાં કમલમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ભાજપનું કાર્યાલય બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તા ૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઇ ચાવડા, કેશરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવાડિયા અને મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશભાઇ ચોધારી સહિતના આગેવાનો હાજર રહેવાના છે તે કાર્યક્રમની માહિતી આવા માટે મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જિલ્લાના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લા ભાજપમાં કમલમનું નિર્માણ ૧૮૦૦૦ ફૂટ જગ્યામાં બનશે અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમનું ભવ્ય બિલ્ડીંગ જેમાં કોન્ફરન્સ હૉલ સહિતની તમામ સુવિધાઓ રાખવામા આવશે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ૭૦૦૦ કરતાં પણ વધુ કાર્યકરો આવશે તેવું પ્રમુખ સહિતના હોદેદારોએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે 






Latest News