મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સી.આર. પાટિલની હાજરીમાં યોજાનરા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ


SHARE







મોરબીમાં સી.આર. પાટિલની હાજરીમાં યોજાનરા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવનારા છે જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તા ૧૯ ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે તે કાર્યક્રમની માહિતી આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જિલ્લાના પ્રમુખે જણાવ્યુ હતું કે, ૭૦૦૦ થી વધુ કાર્યકરો આ કાર્યક્રમમાં આવવાના છે અને અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમ કાર્યલય સાત મહિનામાં બની જશે

રાજ્યના દરેક જીલ્લામાં કમલમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ભાજપનું કાર્યાલય બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તા ૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઇ ચાવડા, કેશરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવાડિયા અને મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશભાઇ ચોધારી સહિતના આગેવાનો હાજર રહેવાના છે તે કાર્યક્રમની માહિતી આવા માટે મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જિલ્લાના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લા ભાજપમાં કમલમનું નિર્માણ ૧૮૦૦૦ ફૂટ જગ્યામાં બનશે અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમનું ભવ્ય બિલ્ડીંગ જેમાં કોન્ફરન્સ હૉલ સહિતની તમામ સુવિધાઓ રાખવામા આવશે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ૭૦૦૦ કરતાં પણ વધુ કાર્યકરો આવશે તેવું પ્રમુખ સહિતના હોદેદારોએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે 






Latest News