હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ
વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો
SHARE
વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો
વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ તેમાં ભાગ લીધો હતો અને હર્ષ અને ઉલ્લાસથી મનમુકીને ગરબા લીધા હતા આ કાર્યક્રમના અંતે વેલડ્રેસ અને વેલપ્લેના સપ્રાઈઝ ઇનામો આપવામાં આવ્યા હતા આ તકે અશ્વિનભાઈ રાવલ, ડો.ભાનુબેન મહેતા દેવદયા, પી.એસ.આઇ. ડી. વી. કાનાણી, પી.એસ.આઇ. લલીતાબેન બાંભવા અને સમસ્ત ગાયત્રી પરિવારના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગાયત્રી પરિવાર વાંકાનેર, માતૃશક્તિ સખીમંડળ, વનિતાવૃંદ, રમઝટ દાંડિયા ક્લાસિસએ જહેમત ઉઠાવી હતી અને હરીફાઈમાં નિર્ણાયક તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેવાંશીબા ઝાલા, શિતલબેન પંચોલી, સુધાબેન યાજ્ઞિક, બંશીખિરૈયાએ સેવા આપી હતી.









