મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ભામાશા ઓ.આર. પટેલની ૧૧મી પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ: રક્તદાન માટે લોકો ઉમટ્યા


SHARE















મોરબીના ભામાશા ઓ.આર. પટેલની ૧૧મી પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ: રક્તદાન માટે લોકો ઉમટ્યા

મોરબી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કેળવણીની જ્યોતને જગમગાવનાર, ઉદ્યોગોની હારમાળા સર્જનાર, સામાજિક ક્રાંતિના પ્રણેતા, તમામ સમાજ માટે અનેક સેવાકીય પ્રકલ્પો આપનાર ઓધવજીબાપા એટલે ભામાશા, કર્ણધાર, પથ પ્રદર્શક કે જેને મોરબીમાં અજંતા, ઑરપેટ,  ઑરેવા ગ્રુપ દ્વારા મોરબીને વિશ્વફલક પર ઓળખ આપી, જેણે સ્ત્રી સશક્તિકરણમાં સમગ્ર ગુજરાતમાં મિશાલ કાયમ કરી છે અને સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સમાજની હજારો દીકરીઓને પ્રત્યક્ષ રોજગારી આપી છે અને કપરા કાળમાં અસંખ્ય દીકરીઓના કરીયાવર કર્યાં છે અને અનેક જગ્યાએ સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો  બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો છે 

જેમણે ચેકડેમો, કુવા રીચાર્જ, સમૂહલગ્નો જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં કરોડો રૂપિયાનું અમૂલ્ય યોગદાન દરેક સમાજના ઉત્થાન માટે આપેલ છે. અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના નેજા હેઠળ ઓ.આર.પટેલે તમામ સમાજની હજારો દીકરીઓને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધીનું શિક્ષણ પૂરું પાડ્યું છે તેમજ પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે સતત ત્રણ વર્ષ સુધી ધો. ૩ થી ૭ ના બાળકો માટે મેગા કસોટીનો સાવ નવો પ્રકલ્પ આપેલો હતો જેના ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થયેલ અને પાછળથી આ પ્રકલ્પને  ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તા સુધારણાના ભાગ રૂપે ગુણોત્સવના નામે અમલમાં મુકેલ છે તેમજ માનવમાત્રને ઉપયોગી એવી સદ્દભાવના હૉસ્પિટલ, અનાથાશ્રમ તેમજ  વિદ્યુત સ્મશાનગૃહ વગેરેમાં ઓ.આર. પટેલનું અદકેરું યોગદાન છે. આવા પાટીદાર રત્ન, પાટીદાર રાજશ્રી, પાટીદાર ભામાશા ઓ.આર.પટેલની ૧૧મી પૂણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કડવા પાટીદાર સમાજ મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવેલ છે અને મોરબીમાં શકત શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં રક્તદાન કેમ્પ કરેલ છે જેમાં એક જ કલાકમાં ૧૦૧૦ લોકોએ રક્તદાન કર્યું છે અને સાંજે પાંચ વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ ચાલુ જ રાખવામા આવશે આ ઉપરાંત અન્ય તાલુકા અને જીલ્લામાં પણ રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવેલ છે






Latest News