27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ
Breaking news
Morbi Today

ટંકારામાં આવેલ આદિત્ય વિલા ગેસ્ટ હાઉસના માલિક સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારામાં આવેલ આદિત્ય વિલા ગેસ્ટ હાઉસના માલિક સામે ગુનો નોંધાયો

ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલ ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હતી જેથી કરીને ગેસ્ટ હાઉસના માલિકની સામે પોલીસે જાહેરનામાન ભંગનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં આવેલ ઉદ્યોગના કારણે રોજગારી મેળવવા માટે તથા ખરીદ વેચાણ કરવા માટે થઈને બહારના રાજ્યોમાંથી ઘણા લોકો આવતા હોય છે ત્યારે આસપાસના વિસ્તારમાં આવેલ હોટલોમાં તથા ગેસ્ટ હાઉસમાં રોકાતા હોય છે ત્યારે આ બહારથી આવેલા લોકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવે તે માટે થઈને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોકે, ટંકારાની લતીપર ચોકડી પાસે એચડીએફસી બેન્કની ઉપરના ભાગે આવેલ આદિત્ય વિલા ગેસ્ટ હાઉસના માલિક દ્વારા ત્યાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોવાથી જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગેસ્ટ હાઉસના માલિક અશ્વિનકુમાર કેશવજીભાઈ ચનિયારા જાતે પટેલ (૩૮) રહે. નૂરસિંહ કૃપા મીરાનગર શેરી નંબર-૨ રૈયા રોડ રાજકોટ હાલ રહે આદિત્ય વિલા ગેસ્ટ હાઉસ લતીપર ચોકડી ટંકારા વાળાની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News