આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનું લુણસરીયા ગામ મોરબી જીલ્લામાં સ્વચ્છતા માટે આદર્શ ગામ


SHARE













વાંકાનેર તાલુકાનું લુણસરીયા ગામ મોરબી જીલ્લામાં સ્વચ્છતા માટે આદર્શ ગામ

 સ્વચ્છતા હી સેવાઅભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યમાં બે મહિના સુધી સ્વચ્છતા એજ સેવાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ તમામ અભિયાન આયોજનોનો હેતુ માત્ર એ જ છે કે, દેશમાં રાજ્યમાં તમામ ગામડાઓ શહેરો સ્વચ્છ બને અને લોકો જાગૃત બની આ સ્વચ્છતા જાળવી રાખે. મહત્વની વાત એ છે કે, આ પ્રકારના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં સરકાર, વહીવટીતંત્ર અને લોકો એકજૂથ બની પ્રયાસો કરે ત્યારે વધુ સફળ બને છે. આ સ્વચ્છતા માટે જ્યારે લોકો આગળ આવશે અને સ્વચ્છતાનું મહત્વ સમજી સ્વચ્છતા જાળવવા કટિબદ્ધ બનશે ત્યારે જ ખરાબ અર્થમાં ગામ શહેર રાજ્ય દેશ સ્વચ્છ બનશે.

ગામડું સ્વચ્છ બનશે તો દેશ સ્વચ્છ બનશેઆ વિચારને ખરેખર અમલી બનાવ્યો છે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે કે, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની, આ કચરાને યોગ્ય જગ્યાએ ઠાલવી તેનું નિકાલ કરવાની તેમજ ગામમાં તમામ જગ્યાઓએ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની આ કામગીરીમાં ગામ લોકો પણ પૂરતો સહયોગ આપે છે. ગામમાં ક્યાંય ખોટી રીતે કચરો ન થાય, ડોર ટુ ડોર વાહનમાં લીલા તેમજ સૂકા કચરાનું અલગ રીતે વ્યવસ્થાપન થાય અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવે છે. લુણસરિયા ગામને સ્વચ્છતા માટે ૨૦૦૮માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ગ્રામ પંચાયતની કામગીરી અને લોકોની જનભાગીદારી થકી સ્વચ્છતા માટે આ એવોર્ડ ગામને મળ્યો છે. વિવિધ અભિયાન અન્વયે ગામડાને ફક્ત એકવાર સ્વચ્છ બનાવવાની નહીં પણ અહીં ગામડું સ્વચ્છ બનાવી આ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ રાજ્યના પણ ગામડાઓ આ નાના એવા ગામથી પ્રેરણા લઈ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવી શકે છે.






Latest News