મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મકાનના તાળા તોડીને ત્યાંથી તાંબા પિતળના વાસણોની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ તેના દિયરની સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 70 હજાર રૂપિયાની કિંમતના તાંબા પિત્તળના વાસણોની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઢુવા ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે દિલ્હી વાળી ફ્રુટ માર્કેટ શહેર કોટડા વિસ્તારમાં રહેતા મીનાબેન હદાભાઈ સાગઠીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તેના દિયર દીપકભાઈ બાલાભાઈ સાગઠીયા રહે. ઢુવા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા 25/2/2026 ના સવારે 7:00 વાગ્યાથી લઈને તા 30/3/26 નામ સવારના 11:00 વાગ્યા સુધીના કોઈપણ સમયે ફરિયાદીના દિયર દ્વારા ઢુવા ગામે તેઓના મકાનનું લોક તોડીને ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તાંબા પીતળના વાસણો જેની કુલ કિંમત 70 હજાર રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મહિલાએ નોંધાયેલ ફરિયાદારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બીમારી સબબ સારવારમાં મહિલાનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ગીતાબેન જીતેન્દ્રભાઈ વરાણીયા (42)ને બીમારી સબબ સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને જૂની બીમારીના કારણે બીમારી સબબ તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News