મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં શરદપુનમે જિલ્લા આહીર સેના તેમજ બીએએમએસ એસો.-વૈદ્યસભા દ્વારા રાસોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં શરદપુનમે જિલ્લા આહીર સેના તેમજ બીએએમએસ એસો.-વૈદ્યસભા દ્વારા રાસોત્સવનું આયોજન

મોરબીના શરદ પુનમના દિવસે મોરબી જિલ્લા આહીર સેના દ્રારા ફક્ત આહિર સમાજ માટે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે બીએએમએસ એસો. અને વૈદ્યસભા દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા આહીર સેના દ્રારા તા.૨૮/૧૦/૨૦૨૩ ને શિનવારે નાની વાવડી ખાતે શરદ પૂર્ણીમાના દિવસે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રીકૃષ્ણના અધ્યક્ષ સ્થાને દ્રારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાતના મોરબી જીલ્લા દ્રારા ફક્ત આહિર સમાજ માટે મહાપ્રસાદ સાથે આહીર સમાજના પ્રખ્યાત કલાકારો સાથે રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ત્યારે દ્રારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસનો ડેમો પણ રાખવામાં આવેલ છે આ તકે સમસ્ત આહીર સમાજને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે અને આહીર સમાજના દરેક લોકોને રાસ રમવા માટે આહીર સમાજના પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે આવવા અનુરોધ કરાયેલ છે અને આ રસોત્સવમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી તેવું પણ આયોજકોએ જણાવ્યુ છે 

બીએએમએસ એસો.-વૈદ્યસભા દ્વારા રાસોત્સવ

મોરબીમાં બીએએમએસ એસો. અને મોરબી વૈદ્યસભા દ્વારા શરદપુનમના દિવસે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૮ ના રોજ શનિવારે શરદપુનમના દિવસે રાત્રે ૮:૩૦ કલાકે મોરબીના રાજકોટ હાઈવે પર આવેલા માધવ ગાર્ડ રેસ્ટોરન્ટ ખાતે રાસોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ બીએએમએસ ડોક્ટરોને પરિવાર સાથે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News