મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ટ્રક હડફેટે ચડી ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ 


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે ટ્રક હડફેટે ચડી ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ 

મોરબીના માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આજે વહેલી સવારના ટ્રકચાલકે રોડક્રોસ કરી રહેલી યુવતીને હડફેટે લીધી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવતીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આવેલી રામદેવ હોટલ નજીક આજે તા.૨-૧૦ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રકના ચાલકે મંજુબેન ધનાભાઈ સોલંકી નામની ૧૭ વર્ષીય યુવતીને હડફેટે લેતા ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલ મંજુબેન સોલંકી નામની યુવતીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ટ્રક પલ્ટી જતા એકને ઈજા

મોરબી નજીક ટીંબડી ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે ત્રણેક વાગ્યે ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને અમૃતભાઈ હરજીભાઈ ચૌધરી (ઉમર ૪૪) નામના રાજસ્થાના રહેવાસી યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આધેડનું મોત

મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલ મોરબીના સનફેમ સિરામિક રંગપર (બેલા) નજીક જેતપર રોડ ઉપર રહીને મજૂરીકામ કરતા સામજીભાઈ લાલજીભાઈ ચાવડા (ઉમર ૫૦) નામના આધેડને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તપાસ્યા બાદ તબીબે તેઓને મૃત જાહેર કરીને તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી જેના પગલે બીટ જમાદાર આર.બી.વ્યાસે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે સામજીભાઇ ચાવડાનું હાર્ટ એટેકને લીધે મોત નિપજેલ છે.






Latest News