રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી એટ્રોસીટી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીની કોર્ટમાંથી એટ્રોસીટી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

ગત તા. ૧/૬/૧૫ ના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં આ કામમાં ફરીયાદી તથા આરોપીઓની વચ્ચે મોરબી ડેપ્યુટી કલેકટરની ઓફીસમાં વાકડા ગામની જમીન મેટર (વાધા તકરાર) ચાલતી હોય જેમા ફરીયાદી તથા સાહેદ તેના પતિની મુદત હોય મુદતે જતા આરોપીઓએ મળી ફરીયાદી તથા તેના પતિને ગાળો આપી જમીનનો કબજો ખાલી કરી દેજો નહીતર જાનથી મારી નાખીશ તેવી ગુનાહીત ધમકી આપી હતી અને આરોપીઓએ ફરીયાદી તથા તેના પતિને જમીનનો કબજો ખાલી કરી દેજો તેમ કહી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા જે અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરેલ હતી

આ કેશ મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો અને આરોપી વીનોદ મોહનભાઈ દેત્રોજા વતી મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષેના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ભોગ બનનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમા આરોપી તરફે યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, એમ.આર. ગોલતર, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News