મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન
SHARE
મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન
મોરબીમાં રહેતા મગનભાઈ જેઠલોજા, મગનભાઈ ગામી અને લાલજીભાઈ સદાતીયા દ્વારા મોરબીના કથાકાર અને વક્તા ભાણદેવજી મહારાજની હરિદ્વાર ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને હરિદ્વારમાં આવેલ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે આ કથા ગઇકાલથી શરૂ થયેલ છે આ કથાનું શ્રવણ કરવા માટે મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેતા સીરામીક ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના પાટીદાર સમાજના ૪૦૦ થી વધુ લોકો હરિદ્વાર ખાતે પહોંચ્યા છે અને હાલમાં કથાકાર ભાણદેવજી મહારાજ તેઓની આગવી શૈલીમાં કથાનું શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે