વાંકાનેરના લીંબાળાથી ખાંભાળા સુધીની પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
મોરબીની સબ જેલમાં નવ ચેતના યોગ શિબિર યોજાઇ
SHARE
મોરબીની સબ જેલમાં નવ ચેતના યોગ શિબિર યોજાઇ
મોરબી સબ જેલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટની કચેરી (ગુજરાત રાજ્ય)ના સહયોગથી નવ ચેતના યોગ શિબિરનું મોરબી સબ જેલમાં તા ૨/૧૦ થી ૩૧/૧૦ સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સબ જેલના સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ અને બેહનોને યોગ તાલીમ તેમજ યોગ દ્વારા જીવનમાં ફાયદાની સમજ યોગ ટીચર જીજ્ઞેશભાઈ પંડિત, દિલીપભાઈ કંજારિયા, માધવીબેન વડાવીયા, શ્રુતિબેન વડાવીયા, યોગ કોચ રૂપલબેન શાહ, અંજનાબેન કાસુંદ્રા , પાયલબેન લોરિયા તેમજ કોર્ડિનેટર વાલજીભાઈ ડાભીએ સહયોગ આપેલ છે. એક માસના યોગ તાલીમ પ્રોગ્રામને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ. ચાવડા અને જેલ સ્ટાફનો પૂરો સહકાર રહેલ હતો. અને જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ, બહેનો એ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.