મોરબીની જનતા તેમજ વિદ્યાર્થીઓ માટે નર્મદા બાલઘર દ્વારા નવી ટેકનોલોજીના જ્ઞાનની શરૂઆત
ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું
SHARE
ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું
ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાને વાંકાનેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ડોકટરે પરમીશન વિના જ ઓપરેશન કર્યું હોય અને મહિલાનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે ત્યારે યુનિટી ઓફ ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેમાં જણાવ્યુ છે કે, કાનુબેન મહેશભાઈ બાબરિયાને પેટમાં દુખાવાના લીધે તેને વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે પરમીશન વિના તેનું ઓપરેશન કર્યું હતું ત્યાર બાદ તે મહિલાને શ્વાસની પ્રોબ્લેમ છે તેમ કહીને તેને એમ્બ્યુલન્સ સાથે રાજકોટ સરકારી હોસ્પિટલ મોકલી દીધી હતી અને બાદમાં આ મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલના સીસીટીવી અને રજીસ્ટરમાં કરવામાં આવેલ એન્ટ્રીને ચેક કરીને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે