મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો

મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેશના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી વખત જાણતા અજાણતા બાળકો ભૂલ કરે છે તેના ગંભીર પરિણામ આવે છે જેથી કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે સાયબર ક્રાઈમ અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ડીવાયએસપી એન.કે. પટેલ, મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ હકૂમતસિંહ એ. જાડેજા, પીએસઆઈ પી.આર. સોનારા તેમજ તેમની ટીમ હાજર રહી હતી અને ધો ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  આ તકે અધિકારીઓનાં હસ્તે નીલકંઠ સ્કૂલના ધો ૧૧ અને ૧૨ કોમર્સના ૭૦ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નરેન્દ્રભાઈ અઘારા તેમજ મનોજભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News