મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો

મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેશના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી વખત જાણતા અજાણતા બાળકો ભૂલ કરે છે તેના ગંભીર પરિણામ આવે છે જેથી કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે સાયબર ક્રાઈમ અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ડીવાયએસપી એન.કે. પટેલ, મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ હકૂમતસિંહ એ. જાડેજા, પીએસઆઈ પી.આર. સોનારા તેમજ તેમની ટીમ હાજર રહી હતી અને ધો ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  આ તકે અધિકારીઓનાં હસ્તે નીલકંઠ સ્કૂલના ધો ૧૧ અને ૧૨ કોમર્સના ૭૦ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નરેન્દ્રભાઈ અઘારા તેમજ મનોજભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News