ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું
મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો
SHARE
મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો
મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેશના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી વખત જાણતા અજાણતા બાળકો ભૂલ કરે છે તેના ગંભીર પરિણામ આવે છે જેથી કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે સાયબર ક્રાઈમ અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ડીવાયએસપી એન.કે. પટેલ, મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ હકૂમતસિંહ એ. જાડેજા, પીએસઆઈ પી.આર. સોનારા તેમજ તેમની ટીમ હાજર રહી હતી અને ધો ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે અધિકારીઓનાં હસ્તે નીલકંઠ સ્કૂલના ધો ૧૧ અને ૧૨ કોમર્સના ૭૦ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નરેન્દ્રભાઈ અઘારા તેમજ મનોજભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી