મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે અમદાવાદ ખસેડાતા રસ્તામાં સ્પામાં કામ કરતી મહિલાનું મોત


SHARE







મોરબીથી સારવાર માટે અમદાવાદ ખસેડાતા રસ્તામાં સ્પામાં કામ કરતી મહિલાનું મોત

મોરબીના લાલપરમાં રહીને સ્પામાં કામકાજ કરતી અને મૂળ ઉત્તરપ્રદેશની મહિલાને મગજની નસ દબાતી હોય અને તેની સારવાર ચાલુ હોય તેના માટે તેણીને મોરબીથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી અને તેને અમદાવાદ ખસેડાતા રસ્તામાં ધાંગધ્રા નજીક તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ મોરબીના લાલપર નજીક રહીને સ્પામા કામકાજ કરતી સુમીબેન મોન્ટુભાઇ શેખ નામની ૩૫ વર્ષીય મહિલાને મગજમાં નસ દબાતી હોય અને તેની બીમારીની સારવાર માટે તેને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને અહીં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જોકે અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં ધાંગધ્રા નજીક સુમીબેન શેખ નામની મહિલાનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.વધુમાં તપાસ અધિકારી હરેશભાઈ ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલા એકલી અહીં મોરબીના લાલપર ગામ નજીક રહેતી હતી અને સ્પામાં કામકાજ કરતી હતી.

સગીરાની છેડતી કરનાર જેલ હવાલે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે પાછળ પાછળ જઈને સગીરાની પજવણી કરતા શખ્સની સામે ભોગ બનેલ સગીરાની માતાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તેની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ  દેકાવાડિયા ચલાવતા હોય તેવો દ્વારા આઇપીસી કલમ ૨૫૪(ડી) છેડતી, ૫૦૬(૨)ધમકી તેમજ પોકસોની કલમ ૧૨ મુજબ જયમલ મહેશભાઈ રાઠોડ જાતે ખવાસ રજપુત (ઉંમર ૧૯) રહે.વૃંદાવન પાર્ક સોસાયટી કેસરકુંજ એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાંથી હુકમ થતાં હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ગામમાં થયેલી મારામારીના બનાવમાં સંજયભાઈ ઇશ્વરભાઇ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News