મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપી દિનેશ દવેના રેગ્યુલર જામીન મંજૂર: જયસુખભાઈ પટેલ-દીપકભાઈ પારેખમાં મુદત પડી


SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપી દિનેશ દવેના રેગ્યુલર જામીન મંજૂર: જયસુખભાઈ પટેલ-દીપકભાઈ પારેખમાં મુદત પડી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે પાંચ આરોપીઓ અગાઉ જામીન મુક્ત થયેલ હતા અને શુક્રવારે હાઇકોર્ટમા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ તેમજ તેના બે મેનેજરના રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી હતી જેમાં આરોપી દિનેશભાઇ દવેના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવેલ છે જો કે, તેઓને મોરબી અને રાજકોટ જીલ્લામાં ટ્રાયલ સિવાય આવવાનું નથી અને બાકીના બંને આરોપીમાં મુદત પડેલ છે

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપીઓ અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મંજૂર થયેલ છે જો કે, શુક્રવારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ તેમજ મેનેજર દિનેશભાઇ દવે તેમજ દીપકભાઈ પારેખના રેગ્યુલર જામીન માટે અરજીની સુનાવણી હતી ત્યારે હાઇકોર્ટમાં દિનેશભાઇ દવેના વકીલે જણાવ્યુ હતું કે, પુલ તૂટ્યાના બીજા જ દિવસે તા ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં જ  છે અને પોલીસે ચાર્જશીટ મૂકી દીધેલ છે અને તપાસ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ લોકલ ઓથોરીટીની સાથે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ મિટિંગ કરતાં હતા અને તે ટેકનિકલ પર્સન નથી તે બીકોમ પાસ છે તે પુલના રિનોવેશન કામમાં સુપરવિઝન કરતાં હતા જો કે, તેની કોઈ સ્પેસિફિક જવાબદારી ન હતી તેવી પણ નોંધ હાઈકોર્ટે કરેલ છે હાલમાં આરોપીના વકીલે કોર્ટમાં કરેલ દલીલને ધ્યાને લઈને હાઇકોર્ટે આરોપી દિનેશભાઇ દવેના શરતી જામીન મંજૂર કરેલ છે જેમાં તેને મોરબીની કોર્ટમાં ચાલતી ટ્રાયલ સિવાય મોરબી અને રાજકોટ જીલ્લામાં આવવાનું નહીં તે રીતે તેના શરતી જમીન મંજૂર કરેલ છે જો કે, ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ અને મેનેજર દીપકભાઈ પારેખની જામીન અરજીમાં આગામી તારીખે સુનાવણી હાથ ધરાશે






Latest News