હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપી દિનેશ દવેના રેગ્યુલર જામીન મંજૂર: જયસુખભાઈ પટેલ-દીપકભાઈ પારેખમાં મુદત પડી


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપી દિનેશ દવેના રેગ્યુલર જામીન મંજૂર: જયસુખભાઈ પટેલ-દીપકભાઈ પારેખમાં મુદત પડી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે પાંચ આરોપીઓ અગાઉ જામીન મુક્ત થયેલ હતા અને શુક્રવારે હાઇકોર્ટમા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ તેમજ તેના બે મેનેજરના રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી હતી જેમાં આરોપી દિનેશભાઇ દવેના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવેલ છે જો કે, તેઓને મોરબી અને રાજકોટ જીલ્લામાં ટ્રાયલ સિવાય આવવાનું નથી અને બાકીના બંને આરોપીમાં મુદત પડેલ છે

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપીઓ અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મંજૂર થયેલ છે જો કે, શુક્રવારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ તેમજ મેનેજર દિનેશભાઇ દવે તેમજ દીપકભાઈ પારેખના રેગ્યુલર જામીન માટે અરજીની સુનાવણી હતી ત્યારે હાઇકોર્ટમાં દિનેશભાઇ દવેના વકીલે જણાવ્યુ હતું કે, પુલ તૂટ્યાના બીજા જ દિવસે તા ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં જ  છે અને પોલીસે ચાર્જશીટ મૂકી દીધેલ છે અને તપાસ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ લોકલ ઓથોરીટીની સાથે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ મિટિંગ કરતાં હતા અને તે ટેકનિકલ પર્સન નથી તે બીકોમ પાસ છે તે પુલના રિનોવેશન કામમાં સુપરવિઝન કરતાં હતા જો કે, તેની કોઈ સ્પેસિફિક જવાબદારી ન હતી તેવી પણ નોંધ હાઈકોર્ટે કરેલ છે હાલમાં આરોપીના વકીલે કોર્ટમાં કરેલ દલીલને ધ્યાને લઈને હાઇકોર્ટે આરોપી દિનેશભાઇ દવેના શરતી જામીન મંજૂર કરેલ છે જેમાં તેને મોરબીની કોર્ટમાં ચાલતી ટ્રાયલ સિવાય મોરબી અને રાજકોટ જીલ્લામાં આવવાનું નહીં તે રીતે તેના શરતી જમીન મંજૂર કરેલ છે જો કે, ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ અને મેનેજર દીપકભાઈ પારેખની જામીન અરજીમાં આગામી તારીખે સુનાવણી હાથ ધરાશે






Latest News