મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા વૃદ્ધે જમીન માપણી કરવા માટે થઈને કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી અને તે અરજીના આધારે જમીનની માપણી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે રહેતા ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર જાતે મોમીન (૫૯)એ હાલમાં હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા, હનીફભાઈ ફતેહભાઈ ચારોલિયા, હબીબભાઈ ફતેહભાઈ ચારોલીયા અને ગુલાભાઈ ઉસ્માનભાઈ રહે. બધા લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેણે આરોપીઓની જમીનની માપણી માટે કલેક્ટર ઓફિસમાં અરજી કરેલ હતી જે આરોપીઓને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને હનીફભાઈ અને હબીબભાઈએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ હાજીભાઈ અને ગુલાભાઇએ તેને ટીકા પાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ઉસ્માનભાઈ કડીવારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી લિંબાળા ગામે રહેતા ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયા (૪૫)એ હાલમાં રોશનબેન ઉસ્માનભાઈ કડીવાર, ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર, ઈદ્રેશભાઈ ફતેહભાઈ કડીવાર અને મુસ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવાર રહે. બધા લીંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના ઘર પાસે ઉસ્માનભાઈ કડીવારની અરજી આધારે જમીન માપણી થતી હોય તે વખતે ચારેય આરોપીઓ ત્યાં ગાળો બોલી રહ્યા હતા અને ફરિયાદીને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મારામારીના આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News