ટંકારાના તિલકનગરમાં શેરીમાં છોકરાના રમતા બાબતે બોલાચાલી બાદ મારમારી: સામસામી ફરિયાદ
મોરબીના ઘૂટું ગામે આજે રાતે સત્સંગ-ધૂનનું આયોજન: વાંકાનેરના ગયાત્રી મંદિરે કાલે રંગોળી સ્પર્ધા
SHARE
મોરબીના ઘૂટું ગામે આજે રાતે સત્સંગ-ધૂનનું આયોજન: વાંકાનેરના ગયાત્રી મંદિરે કાલે રંગોળી સ્પર્ધા
મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા સ્વ. મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે આજે તા. ૪ ને શનિવારે ઘૂટુંના જનકનગર ખાતે રાત્રે ૯ થી ૧૧ કલાક સુધી સત્સંગ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે અને અંધ અપંગ, બીમાર, વૃદ્ધ અને નિરાધાર ગૌવંશની સેવા કરતી સંસ્થા ૐ ગુરુદત્ત ગૌશાળા ટ્રસ્ટ, મોટી વાવડી નિશુલ્ક કીર્તન ધૂન મંડળ સુરત દ્વારા સત્સંગ ધૂનની જમાવટ કરવામાં આવશે આ સત્સંગ ધૂનનું આયોજન રણછોડભાઈ મગનભાઈ સંઘાણી, વસંતભાઈ મગનભાઈ સંઘાણી, અમૃતભાઈ મગનભાઈ સંઘાણી, કેવલભાઈ રણછોડભાઈ સંઘાણી, દિવ્યશેભાઈ રણછોડભાઈ સંઘાણી, કુલદીપ અમૃતભાઈ સંઘાણી અને જીલ વસંતભાઈ સંઘાણી તેમજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે
વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન
આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને કાલે તા. ૫/૧૧ ને રવિવારના રોજ બપોરે બે થી પાંચના સમયગાળામાં આ રંગોળી સ્પર્ધા યોજાશે આ સ્પર્ધામાં કોઈપણ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે અને સ્પર્ધા ૫ થી ૧૫ વર્ષ ના બાળકો અને ૧૫ વર્ષથી મોટી ઉપરના લોકો માટે બે વિભાગમાં સ્પર્ધા રાખવામા આવી છે આ રંગોળી સ્પર્ધામાં વધારેમાં વધારે લોકોએ ભાગ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને આ સ્પર્ધા માટે ગાયત્રી પરિવાર વાંકાનેરના સભ્ય રાહુલ જોબનપુત્રાને ૯૨૬૫૦ ૬૬૦૯૬ ઉપર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા વિજેતાને ઇનામ આપવામાં આવશે તેવું આયોજકો જણાવ્યુ છ