મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે પગપાળા જતા માતા-પુત્રને ઇકો કારના ચાલકે હડફેટ લેતા સારવારમાં


SHARE















મોરબીના લાલપર ગામ પાસે પગપાળા જતા માતા-પુત્રને ઇકો કારના ચાલકે હડફેટ લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં પગપાળા જઈ રહેલા માતા- પુત્રને ઇકો કારના ચાલકે હડફેટે લેતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લાલ lપર ગામે સીરામીક સિટી વિસ્તારમાં રહેતા હેતલબેન મહેશભાઈ વારેવડીયા (૩૪) અને તેમનો પુત્ર જૈનિશ મહેશભાઈ વારેવડીયા (૧૨) બને મોરબીના લાલપર ગામ પાસેથી પગપાળા જતા હતા ત્યાં મેલડી માતાના મંદિર નજીક તેઓને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા બંનેને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બાબતે ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હાલ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા કેનવાસ સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા શારદાબેન કલસિંગભાઈ ભાભોર નામની ૩૫ વર્ષની મહિલાને તેના પતિ દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા શારદાબેન ભાભોરને મોરબીના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જ જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નવી ટીબડી ગામે રહેતા અજય કરસનભાઈ કોરવાડીયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘરે કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને આ બાબતે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસે રહીને મજૂરી કામ કરતો ક્રિષ્નાભાઈ ચતુરભાઈ ઠાકોર નામનો ૩૫ વર્ષનો યુવાન તેના ઘર નજીક કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હોવાથી તેને મોરબી મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ ઉપરોક્ત બનાવ બાબતે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News