મોરબીના લાલપર ગામ પાસે પગપાળા જતા માતા-પુત્રને ઇકો કારના ચાલકે હડફેટ લેતા સારવારમાં
મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં થયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૪-૭-૨૦૧૭ ના રોજ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ (જેતે સમયે) વાળી સગીર વયની હોવાનું આરોપી જાણતા અને માનતા હોવા છતાં ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને પાલનપુર મુકામે લઇ જઈને ભોગ બનનાર સગીર વયની હોવાનું આરોપી જાણતા હોવા છતાં એક રૂમ ભાડે રાખી એક કરતા વધુ વખત જાતીય હુમલો કરી, અવાર નવાર શરીર સંબંધ બાંધી, જાતીય સતામણી કરી બળાતકાર (સંભોગ) કરતા આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી આ ફરીયાદ અનુસંધાને પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરેલ અને સ્પે.પોકસો કેસ નંબર ૪૨/૨૦૧૮ આપવામાં આવેલ આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલો કરતા આ કામના આરોપીને વિશેષ ન્યાયધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ-મોરબીએ આરોપી કાનજીભાઈ મોહનભાઈ રાણવા રહે. નાના રામપર તા.ટંકારા જી.મોરબી વાળાને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઈ) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ કલમ ૩(એ), ૪ તથા ૬ મુજબના શીક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફથી મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ હતા