મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં થયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૪-૭-૨૦૧૭ ના રોજ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ (જેતે સમયે) વાળી સગીર વયની હોવાનું આરોપી જાણતા અને માનતા હોવા છતાં ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને પાલનપુર મુકામે લઇ જઈને ભોગ બનનાર સગીર વયની હોવાનું આરોપી જાણતા હોવા છતાં એક રૂમ ભાડે રાખી એક કરતા વધુ વખત જાતીય હુમલો કરી, અવાર નવાર શરીર સંબંધ બાંધી, જાતીય સતામણી કરી બળાતકાર (સંભોગ) કરતા આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી આ ફરીયાદ અનુસંધાને પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરેલ અને સ્પે.પોકસો કેસ નંબર ૪૨/૨૦૧૮ આપવામાં આવેલ આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલો કરતા આ કામના આરોપીને વિશેષ ન્યાયધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ-મોરબીએ આરોપી કાનજીભાઈ મોહનભાઈ રાણવા રહે. નાના રામપર તા.ટંકારા જી.મોરબી વાળાને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઈ) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ કલમ ૩(એ), ૪ તથા ૬ મુજબના શીક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફથી મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ હતા






Latest News