મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં થયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૪-૭-૨૦૧૭ ના રોજ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ (જેતે સમયે) વાળી સગીર વયની હોવાનું આરોપી જાણતા અને માનતા હોવા છતાં ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને પાલનપુર મુકામે લઇ જઈને ભોગ બનનાર સગીર વયની હોવાનું આરોપી જાણતા હોવા છતાં એક રૂમ ભાડે રાખી એક કરતા વધુ વખત જાતીય હુમલો કરી, અવાર નવાર શરીર સંબંધ બાંધી, જાતીય સતામણી કરી બળાતકાર (સંભોગ) કરતા આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી આ ફરીયાદ અનુસંધાને પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરેલ અને સ્પે.પોકસો કેસ નંબર ૪૨/૨૦૧૮ આપવામાં આવેલ આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલો કરતા આ કામના આરોપીને વિશેષ ન્યાયધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ-મોરબીએ આરોપી કાનજીભાઈ મોહનભાઈ રાણવા રહે. નાના રામપર તા.ટંકારા જી.મોરબી વાળાને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઈ) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ કલમ ૩(એ), ૪ તથા ૬ મુજબના શીક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફથી મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ હતા






Latest News