ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ,લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા


SHARE













મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ,લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા

મોરબીના સનાળા રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં આરડીસી બેંકના દરવાજા પાસે નવા હાઉસિંગ બોર્ડ સનાળા રોડ ખાતે રાહત દરે નેચરલ વસ્તુનું વિતરણ થતું હોય છે તે મુજબ આવતીકાલ તા.૫ ને રવિવારે સવારના ૮ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાહત દરે નેચરલ વસ્તુનું વેચાણ થશે તેમ હરડે પ્રચાર કેન્દ્રના જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવેલ છે જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના  પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા-વેલણ-જેરણી, દેશી ટામેટા,ગોલ્ડન બેરી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લેશો.તેમજ નિરોગી રહેવી પ્રકૃતિ તરફ વળો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ઘરેથી કાપડની થેલી સાથે લાવવા જણાવેલ છે.

લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા
મીરબીની જુદી જુદી શાળાઓના બાળવાટીકાથી ધો.૭ સુધીના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા હતી.લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા સુવર્ણપ્રાશન ટીપા આપવાના આયોજન ભાગરૂપે મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, માણેકવાડા શાળા, મહેન્દ્રનગર કુમાર અને કન્યા શાળાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને પુષ્ય નક્ષત્રમાં નિઃશુલ્ક ટીપા પીવડાવવામાં આવ્યા હતા.સુવર્ણપ્રાશનના ઘણા ફાયદા છે જેમકે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.પાચનતંત્રમા સુધારો કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે, ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે, તાવ-શરદી-ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે, શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ બનીને વાન ઉજળો કરે છે, તેજસ્વી તથા ચપળ બનાવે છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.આ ટીપાં પીવડાવવામાં ક્રિષ્નાબેન રૂપાલા અને સંદીપભાઈ લોરીયા મોરબી તાલુકા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જહેમત ઉઠાવી હતી.






Latest News