ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું


SHARE













મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની રિસામણે બેઠેલ હોય તેને લેવા માટે ગયો હતો તો પણ તેની પત્ની આવી ન હતી જેથી કરીને તે યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે કોનોર સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગણેશ્વર રામચંદ્ર જેના જાતે ઓડિયા (૨૮) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પિતા રામચંદ્ર બંસીધર જેના જાતે ઓડિયા (૫૩) રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસને આ બનાવ અંગેની જાણ કરી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે છએક મહિનાથી તેની પુત્રવધૂ રિસામણે બેઠેલ છે જેથી કરીને તેનો દીકરો તેને લેવા માટે તેના વતનમાં ગયો હતો પરંતુ તેની પત્ની પાછી આવી ન હતી જેથી કરીને તે મોરબી મજુરી કામ કરવા માટે થઈને મોરબીમાં કોનોર સિરામિક કારખાના ખાતે આવ્યો હતો અને ત્યાં તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News