મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું


SHARE









મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની રિસામણે બેઠેલ હોય તેને લેવા માટે ગયો હતો તો પણ તેની પત્ની આવી ન હતી જેથી કરીને તે યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે કોનોર સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગણેશ્વર રામચંદ્ર જેના જાતે ઓડિયા (૨૮) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પિતા રામચંદ્ર બંસીધર જેના જાતે ઓડિયા (૫૩) રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસને આ બનાવ અંગેની જાણ કરી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે છએક મહિનાથી તેની પુત્રવધૂ રિસામણે બેઠેલ છે જેથી કરીને તેનો દીકરો તેને લેવા માટે તેના વતનમાં ગયો હતો પરંતુ તેની પત્ની પાછી આવી ન હતી જેથી કરીને તે મોરબી મજુરી કામ કરવા માટે થઈને મોરબીમાં કોનોર સિરામિક કારખાના ખાતે આવ્યો હતો અને ત્યાં તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News