ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં  સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













હળવદ તાલુકામાં  સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ચીત્રોડી ગામનો સગીરા સાથે દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને દુષ્કર્મ કેશમાં નીર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો કોર્ટે આદેશ કરેલ છે

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચીત્રોડી ગામના તા. ૬/૬/૨૦૨૩ ના રોજ ફરીયાદીને ભોગ બનનાર ૧૨.૫ વર્ષની દિકરી ઉપર બળાત્કાર થયો હતો જેની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા રહે, ચીત્રોડી તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોધવામાં આવ્યો હતો જેમાં જણાવ્યુ હતું કે, આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા ચીત્રોડી ગામની વાડીમાં ભોગબનનારનો હાથ પકડી ઢસડીને ઓરડીમાં લઈ ગયો હતો અને ઓરડીની રૂમનો દરવાજો બંઘ કરી દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને હળવદ પોલીસે પાકસો એકટની કલમ ૪, ૫ (એલ), , ૧૨ તથા આઈ. પી. સી. કલમ ૩૭૬ (ર) (જે) ૩૭૬ (૩), ૩૫૪ (એ), તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩ (૨) (વી એ) ૩ (ર) (વી), ૩ (૧) (ડબલ્યુ) (આઈ), મુજબનો ગુન્હો નોંધ્યો હતો અને આરોપીની ઘરપકડ કરી હતી અને તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરતા આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જજ વી.પી. મહીડા સાહેદની કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખીને આરોપીને કોર્ટે નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયાના તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઝા) તથા મેનાઝબેન એ. પરમાર રોકાયેલા હતા.






Latest News