મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું


SHARE













મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું

મૂળ રાજકોટનો રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયો હતો જે અંગે તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી અને તપાસ દરમિયાન યુવાન આર્થિક કારણોસર ગુમ થયો હોવાનું અને તે હેમખેમ પરત આવી ગયો હોવાની પોલીસમાંથી માહિતી મળી રહી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ પીપળી રોડ ઉપરની હરિગુણ સોસાયટીમાં રહેતો આનંદ દિલીપભાઈ હરજીભાઈ ધરસંડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન ઘરેથી ગત તા.૨૯-૧૦ ના રોજ કામે જવા નીકળ્યો હતો અને બાદમાં કોઈને કંઈપણ કહ્યા વિના ગુમ થઈ ગયો હતો જે અંગે પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવેલ હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં યુવાન પોલીસ મથક ખાતે હાજર થયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે આર્થિક સંકડામણ રહેતી હોવાના લીધે અને આર્થિક મંદીના કારણોસર તે કંટાળી ગયો હોવાથી રાજકોટ ચાલ્યો ગયો હતો.હાલ આનંદ હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાઘપરા મારામારી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં કેજમ કંડલા બાયપાસ આવાસના કવાટરમાં રહેતા બે યુવાનોને સામસામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે કાસીમ ઇબ્રાહીમભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) અને સામેના પક્ષેથી સાજીદ હનીફભાઇ ચાનીયા (ઉંમર ૨૬) વાળાઓને મોરબીના વાઘપરા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

લાતી પ્લોટ મારામારી

મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા હમીદાબેન સિકંદરભાઈ મોવર નામની ૪૭ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે પાડોશીઓ સાથે શેરીમાં કચરો નાખવા જેવી નજીકની બાબતે થયેલ બોલાચાલીના બનાવ બાદ મારામારીના બનાવમાં ઈજાઓ થતા હમીદાબેનને સારવારમાં ખસેડીયા હતા.






Latest News