ટંકારાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો
મોરબીના દરબારગઢ ચોકમાં કાલીપૂજાનું આયોજન
SHARE
મોરબીના દરબારગઢ ચોકમાં કાલીપૂજાનું આયોજન
મોરબીના દરબારગઢ ચોકમાં શ્રી સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ (શ્યામા કાલીપુજા કમીટી મેમ્બર્સ ગ્રુપ) દ્વારા કાલીપુજાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૧૨ ને રવિવાર થી તા.૧૫ ને બુધવાર સુધી ચાર દિવસ શ્યામા કાલીપુજા કમીટી મેમર્બ્સ આયોજન કરવામાં આવ્યું છે
છેલ્લા ૨૬ વવર્ષથી કાલીપુજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ નિર્મલભાઈ, લાલુદાસભાઈ, દિપકભાઈ, અશોકભાઈ, સદાનંદભાઈ, બાબુભાઈ, સોમનાથભાઈ, દિલુભાઈ, ભોલાભાઈ અને તમામ મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું જાજરમાન અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માં કાલીની ભવ્ય મૂર્તિ શ્રીમતિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. કાલીપુજા બંગાલમાં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામઘુમથી ઉજવવામાં આવે છે આ ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપનામાં કાલીપુજા અર્ચના, ચંડી પાઠ, પુષ્પાજંલી, મહા આરતી, ખીચડી મહા પ્રસાદ, મયાર ચંડીથ, અન્ન પ્રસાદ, ઢોલ,મહાઆરતી અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૧૫ ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે તેમજ બપોરે આરતીનો સમય રોજ બપોરે ૧૨ થી ૧ અને રાત્રે મહાઆરતીનો સમય ૯ વાગ્યા પછી રહેશે અને મહા આરતી પછી ખીચડી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.