મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી


SHARE













મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિ પાર્કમાં શેરી વાળવા બાબતે અને ઘર પાસે કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.જેમા બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર પાસે મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા જાતે આહિર (૨૯) અને શુભાંગીબેન ડોડીયા વચ્ચે ઝગડો થયો હતો.શેરીમાં ઘર પાસે કચરો ભેગો ન કરવા બાબતે બોલાચાલ તેમજ ઝઘડો થયો હતો.જેમાં બંને પક્ષેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયાને સોંપવામાં આવેલી હોય હાલ તપાસ અધિકારી દ્વારા શુભાંગીબેન પ્રદીપસિંહ પ્રવિણસિંહ ડોડીયા (૨૬) અને હરપાલસિંહ પ્રદીપસિંહ ડોડીયા (૨૪) રહે.બંને મારુતિ પાર્ક સોસાયટી વાળાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારામાં દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા નાના ખીજડીયા ગામે જયેશભાઈ પ્રભુભાઈ દેત્રોજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ભારતીબેન રાકેશભાઈ ઉદયસિંગ આદિવાસી નામની ૩૦ વર્ષની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કયા કારણોસર ભારતીબેને ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આગળની તપાસ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ તપોવન રેસીડેન્સી ઉત્સવ હાઈટ બ્લોક નંબર ૫૦૧ માં રહેતા હંસાબેન હસમુખભાઈ સંઘાણી નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ બાબતે એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરે પારિવારિક ઝઘડામાં પતિ દ્વારા ધક્કો લાગી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News