મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

તારી સાથે નવા વર્ષના રામ રામ કરવાના થતા નથી, તું નીકળ એવુ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો


SHARE













વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના રામરામ કરવા ગયેલ આધેડને તારી સાથે રામરામ કરવાના થતા નથી તું નીકળ એમ કહીને તેની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને આધેડને પેટ અને ડાબા પડખામાં ઇજા થઈ હતી અને તેના બાઈકમાં તલવારનો ઘા કર્યો હતો જેથી તેમા નુકસાની થઈ હતી હાલમાં સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામે રહેતા રૈયાભાઈ છગનભાઈ ગોલતર જાતે ભરવાડ (૫૩)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ભોળાભાઈ બાંભવા રહે બંને નવા ધમલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવા વર્ષના દિવસે તેઓ કેરાળા ગામે આરોપીઓને નવા વર્ષના હાથ ઊંચો કરીને રામરામ કરી હાથ મિલાવવા નજીક જતા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને "તારી સાથે રામરામ કરવાના થતા નથી તુ નીકળ એમ કહેતા" ફરિયાદી અને સાહેદ હરેશભાઈ બંને જણા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને રાણીમાં રૂડીમાના મંદિરે દર્શન કરીને પરત આવતા શેરીમાં પહોંચ્યા હતા ત્યારે પાછળ ફાયરિંગનો અવાજ આવ્યો હતો અને પાછું વળીને જોતા ગોપાલભાઈ બાંભવાના હાથમાં પિસ્તોલ હતી અને તેણે બીજું ફાયરિંગ કરેલ હતું જેમાં ફરિયાદીને ડાબા પડખામાં અને પેટના ભાગે ઇજાઓ થઈ હતી અને ત્યારે બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે આરોપી લાખાભાઈના હાથમાં તલવાર હોય તે ફરિયાદીને તલવાર મારવા જતા તે ખસી ગયા હતા જેથી કરીને તલવારનો ઘા તેના મોટરસાયકલ પર લાગ્યો હતો આમ ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો કરનારા બંને શખ્સોની સામે ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News