તારી સાથે નવા વર્ષના રામ રામ કરવાના થતા નથી, તું નીકળ એવુ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો
મોરબીના રામધન આશ્રમ ખાતે અન્નકૂટ, મહાઆરતી, મહા પ્રસાદ અને સંતવાણીના કાર્યકમનું આયોજન
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે અન્નકૂટ, મહાઆરતી, મહા પ્રસાદ અને સંતવાણીના કાર્યકમનું આયોજન
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે આ વર્ષે પણ મહંત ભાવેશ્વરી માતાજી, કથાકાર રતનબેનના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી ભાજીના શાક, સંભાર, ફળ, ફરસાણ, મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો. ત્યારે બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો અને ભકતજનો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને ભાઈ બીજ નિમિત્તે આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યામાં મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિતના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે