મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત
વાંકાનેરના હસનપર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત
SHARE
વાંકાનેરના હસનપર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે તેવામાં વાંકાનેરના હસનપર ગામે મેલડી માતાજીનાં મંદિર પાસે રહેતા યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ હસનપર ગામે મેલડી માતાજીના મંદિરની પાસે રહેતા શૈલેષકુમાર અશોકભાઈ દાદરેચા (૨૮) નામના યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને મૃતક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સિરામિક સિટીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા રાહુલ ગમારા (૧૯) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે