મોરબીના જસમતગઢ ગામે બે નાટકનું આયોજન: યુટ્યુબ ઉપર લાઇવ કરાશે
મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત
SHARE
મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત
મોરબીથી દ્વારકા પગપાળા જતા રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી પાસે અકસ્માત નડ્યો હતો અને ત્યાં કાર ચાલકે હડફેટે લેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના મોત નીપજયાં હતા અને એક વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.
મોરબી નજીકના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયા મોરબીથી તા ૧૨ ના રોજ રવાપરથી દ્વારકા જવા માટે રવાના થયા હતા અને પગપાળા જઇ રહેલા પદયાત્રિકો ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા હતા ત્યારે જીજે ૨ ડીએમ ૫૯૧૮ નંબરની કારના ચાલકે તેને હડફેટે લીધા હતા અને આ ચાર પૈકીનાં એક જ કુટુંબના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજાનું મોત થયું છે અને આ ઘટનામાં પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયાને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની ફરિયાદ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે