મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત


SHARE













મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત

મોરબીથી દ્વારકા પગપાળા જતા રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી પાસે અકસ્માત નડ્યો હતો અને ત્યાં કાર ચાલકે હડફેટે લેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના મોત નીપજયાં હતા અને એક વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.

મોરબી નજીકના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયા મોરબીથી તા ૧૨ ના રોજ રવાપરથી દ્વારકા જવા માટે રવાના થયા હતા અને પગપાળા જરહેલા પદયાત્રિકો ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા હતા ત્યારે જીજે ૨ ડીએમ ૫૯૧૮ નંબરની કારના ચાલકે તેને હડફેટે લીધા હતા અને આ  ચાર પૈકીનાં એક જ કુટુંબના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજાનું મોત થયું છે અને આ ઘટનામાં પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયાને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની ફરિયાદ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News