વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો

મોરબીના પ્રસંગ હોલ ખાતે સખી ક્લબ અને દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ અંજુબેન પડલિયાપીયૂતાબેન પટેલસુનિલભાઈ પરમારપાલિકા પ્રમુખ કુશુમબેન પરમાર, દીપકભાઈ સોમૈયાપરેશભાઈ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા અને આ સેમિનારમાં ગુ.રા.બોર્ડ યોગની ટીમયુવા આર્મી ટીમલાયન્સ ક્લબ ટીમ તેમજ મોરબીની જનતા જોડાઈ હતી. ત્યારે મુખ્ય વક્તા નેચથેરાપીસ્ટ અંજુબેન પડલિયાએ નેચરોપેથી શું છેનેચરોપેથી જે આપણી વેદો આધારિત ચિકિત્સા છે જેમાં માટી ચિકિત્સાજલ ચિકિત્સા અને આહાર ચિકિત્સા દ્વારા કઈ રીતે શરીરના હઠીલા રોગો દૂર કરું શકાય છે તેની માહિતી આપી હતી તેમજ આ સેમિનારમાં માટીથી બનેલા કાયાપલટના પ્રોડક્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીની ગિતંજલી સ્કુલના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે નેચરોપેથી પર પ્રોજેક્ટ બનાવ્યો હતો તે પણ ત્યાં રાખવામા આવ્યો હતો અને બપોરના ૨ વગ્યા થી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેનો ઘણા લોકોએ લાભ લીધો હતો અને આજની તેમજ આવનાર પેઢીને ફરી પ્રકૃતિ તરફ વાળીને નેચરોપેથી સારવાર કરી કેમિકલ મુક્ત ભારત બનાવવા માટે આ કાર્યક્રમનું અયોજન સખી ક્લબના નિધિબેન પટેલએ કર્યું હતું.






Latest News