મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો

મોરબીના પ્રસંગ હોલ ખાતે સખી ક્લબ અને દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ અંજુબેન પડલિયાપીયૂતાબેન પટેલસુનિલભાઈ પરમારપાલિકા પ્રમુખ કુશુમબેન પરમાર, દીપકભાઈ સોમૈયાપરેશભાઈ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા અને આ સેમિનારમાં ગુ.રા.બોર્ડ યોગની ટીમયુવા આર્મી ટીમલાયન્સ ક્લબ ટીમ તેમજ મોરબીની જનતા જોડાઈ હતી. ત્યારે મુખ્ય વક્તા નેચથેરાપીસ્ટ અંજુબેન પડલિયાએ નેચરોપેથી શું છેનેચરોપેથી જે આપણી વેદો આધારિત ચિકિત્સા છે જેમાં માટી ચિકિત્સાજલ ચિકિત્સા અને આહાર ચિકિત્સા દ્વારા કઈ રીતે શરીરના હઠીલા રોગો દૂર કરું શકાય છે તેની માહિતી આપી હતી તેમજ આ સેમિનારમાં માટીથી બનેલા કાયાપલટના પ્રોડક્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીની ગિતંજલી સ્કુલના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે નેચરોપેથી પર પ્રોજેક્ટ બનાવ્યો હતો તે પણ ત્યાં રાખવામા આવ્યો હતો અને બપોરના ૨ વગ્યા થી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેનો ઘણા લોકોએ લાભ લીધો હતો અને આજની તેમજ આવનાર પેઢીને ફરી પ્રકૃતિ તરફ વાળીને નેચરોપેથી સારવાર કરી કેમિકલ મુક્ત ભારત બનાવવા માટે આ કાર્યક્રમનું અયોજન સખી ક્લબના નિધિબેન પટેલએ કર્યું હતું.




Latest News