મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના રવાપર ગામે શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ શ્રી રામનાવડી સત્સંગ મંડળના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસાસને જમનબાપુ નિમ્બાક કથાનું રસપાન કરાવશે

આ કથા તા ૧૮ ને શનિવાર લાભ પાંચમથી પ્રારંભ અને તા. ૨૪ ને શુક્રવાર પૂર્ણ થશે કથાનો સમય ૩ થી ૬:૩૦ સુધીનો રહેશે આ કથા સ્થળ રવાપર ગામના ઝાપે બાલકેશ્વર મહાદેવની સામે પોથીયાત્રા બપોરે ૨ વાગે રવાપરના સરપંચ નીતિનભાઈ રૂપનાથભાઈ ભટાસણાના નિવાસ્થાનેથી કાઢવામાં આવશે તો ભાવિક ભક્તોને લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે આ કથાનો મુખ્ય હેતુ રામાનંદી સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ કથા શ્રવણ દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે તેમજ કથાનો જે કાંઈ ભંડોળ વધે તેમાં કન્યા કેળવણીને લગતા ઉમદા કાર્ય કરવા માટે વપરાશે તેમ યાદીમાં જણાવાયું છે આ આયોજનને સફળ બનાવવા અરુણાબેન. એમ. રામાવત, સરોજબેન આર. રામાવત, દમયંતીબેન જે. નિરંજની, સરોજબેન એસ. રામાવત, ભારતીબેન આર. રામાવત, સુશીલાબેન આર. કુબાવત, જસુબેન એન. કુબાવત, દમયંતીબેન. ડી. રામાવત, ભારતીબેન સી. રામાવત, મનિષાબેન એલ. રામાવત, ઉર્મિલાબેન વૈષ્ણવ, કંચનબેન ડી. નિમાવત, ગીતાબેન એમ. રામાવત, ભૂમિબેન બી. રામાવત જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News