મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે
SHARE
મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે
મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં તા ૧૯ ના રોજ ટંકારા પડધરી બેઠકના ભાજપ પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું છે જે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સાથે વર્લ્ડ કપ ફાઇનલ મેચ નિહાળવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો કાર્યકર્તા ભાઈઓ-બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહીતના હાજર રહેશે