ટંકારાના સરાયા ગામે ખેતરમાં પડેલા કપાસમા આગ: ખેડૂતને નુકશાન
SHARE
ટંકારાના સરાયા ગામે ખેતરમાં પડેલા કપાસમા આગ: ખેડૂતને નુકશાન
ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ હેમંતભાઈ પટેલનો કપાસ તેને ખેતરમાં પડ્યો હતો અને તે કપાસના ઢગલા ઉપરથી વિજ લાઇન પસાર થાય છે તેમાં સોટ સર્કિટના કારણે તિખારો નિચે પડેલા કપાસના ઢગલા ઉપર પડતા કપાસના જથ્થામાં આગ લાગી હતી જેથી કરીને આજુબાજુના ખેડૂતો ત્યાં દોડી આવ્યા હતા અને પાણીનો મારો કરીને કપાસમાં લાગેલ આગને કાબુમાં કરવા માટેના પ્રયાસો કર્યા હતા જો કે, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધણો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવ અંગે ટંકારા પિજીવિસીએલની ઓફીસે જાણ કરી હતી અને જેથી કરીને સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.