મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે રાજાશાહીમાં મૂકવામાં આવેલ લોખંડની ગ્રીલની ચોરી !


SHARE















મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે રાજાશાહીમાં મૂકવામાં આવેલ લોખંડની ગ્રીલની ચોરી !

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર રાજાશાહીના વખતમાં લોખંડની જે ગ્રીલ મૂકવામાં આવી હતી તે ગ્રીન અનેક જગ્યાએથી તોડી નાખવામાં આવી છે અને હજુ પણ આ ગ્રીલને તોડવાની પ્રવૃત્તિ ચાલુ હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે હાલમાં મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર બેઠા પુલની ઉપરના ભાગમાં જે લોખંડની રાજાશાહી વખતથી મુકેલી ગ્રીલ છે તે ગ્રીલને વચ્ચેના ભાગમાંથી તોડી નાખવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે અને ત્યાં આડશ માટે ખાલી તાર બાંધી દેવામાં આવ્યા છે જોકે કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ ત્યાંથી જો નીચે પડી જાય તો જવાબદારી કોની ? તે સૌથી મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે અને લોખંડની ચોરી કરવા માટે થઈને કે પછી અન્ય કોઈપણ કારણોસર રાત્રી દરમિયાન આ લોખંડની ગ્રીલને કાપવાનું કામ થતું હોય તેવું પણ લોકોમાં ચર્ચા રહેવું છે ત્યારે રાજાશાહી વખતમાં મૂકવામાં આવેલ લોખંડની ગ્રીલ જે જગ્યાએથી તૂટી ગયેલ છે ત્યાં યોગ્ય સમારકામ કરવામાં આવે અને આ મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી જે લોખંડની ગ્રીલ ચોરી કરવા માટેની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને ડામવા માટે થઈને પણ નકકર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે






Latest News