મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે
SHARE
મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે
મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવનું વિક્રમ સંવત ૨૦૮૦ ના મહાસુદ ૯ (નોમ) ને રવિવાર તા.૧૮-૨-૨૪ ના રોજ આયોજન રાખવામાં આવેલ છે.આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓએ તા.૩૧-૧૨-૨૩ સુધીમાં આયોજકોનો સંપર્ક કરવા જણાવાયેલ છે.
આ સમુહ લગ્ન માં મા-બાપ વગરની દિકરી, મા કે બાપમાંથી એકનું અવશાન થયેલ હોય તેવી દિકરીઓ તેમજ જરૂરીયાતમંદ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે.લગ્નોત્સવમાં જોડાવા માટે પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ન્યાલવન ગોસ્વામી (મો.૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી (મો.૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી (મો.૯૮૭૯૪ ૩૨૦૦૧) પૈકી કોઇ એક પાસે નામ નોંધણી કરાવવાની રહેશે તેમ યાદીમાં જણાવાયેલ છે.