મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ
Breaking news
Morbi Today

હરિદ્વારમાં મોરબીના સુખરામ બાપુના વ્યાસસને સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન


SHARE















હરિદ્વારમાં મોરબીના સુખરામ બાપુના વ્યાસસને સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન

હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં સર્વે પિતૃઓના મોક્ષા અર્થે મોરબીના આયોજક દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સત્તસંગમાં શ્રીકૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોરબીના ત્રીપાખ સાધુ સમાજ સમાજના પ્રમુખ સુખરામ બાપુ (માનસ સુંદર) અને મોરબીના ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરીના સંયુક્ત આયોજનથી હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં શ્રી સુખરામ બાપુ (માનસ સુંદર) મોરબી વાળા વ્યાસ પીઠ ઉપરથી તા ૧૬/૧૧ થી તા ૨૨/૧૧ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીકૃષ્ણજન્મ મહોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોરબી અયોધ્યાપુરી તથા હરિદ્વાર વિષ્ણુ ધામઆશ્રમના મહંત અને સુખરામ બાપુના ગુરુ વિષ્ણુદાસ મહારાજ અને મોરબીથી ખાસ આવેલા સેલટેક્ષ વાળા ચીખલીયાભાઈ તેમજ મોરબી રામાનંદ સાધુ સમાજના આગેવાન ભરતભાઈ નિમાવત, મોરબી ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તેમજ મોરબી ગોસ્વામી સમાજના કારોબારી સભ્ય વકીલ કમલેશભાઈ ગોસ્વામી, રાહુલ નિમાવત, શિવમ નીમાવત, વિક્રમભાઈ જીલરીયા, નિતેશભાઇ શુકલ, કમલેશભાઈ, ભગીરથભાઈ વર્મા, મહેશભાઈ પરમાર, મધુબેન પરમાર, સવિતાબેન, નર્મદાબેન અને દલસુખ ધામેચા સહિતના હાજર રહ્યા હતા






Latest News