હળવદના ચરાડવા ગામે વાડીએ બાંધેલા ઝાટકો તારમાંથી શૉટ લાગતાં યુવાનનું મોત
હરિદ્વારમાં મોરબીના સુખરામ બાપુના વ્યાસસને સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન
SHARE
હરિદ્વારમાં મોરબીના સુખરામ બાપુના વ્યાસસને સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન
હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં સર્વે પિતૃઓના મોક્ષા અર્થે મોરબીના આયોજક દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સત્તસંગમાં શ્રીકૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોરબીના ત્રીપાખ સાધુ સમાજ સમાજના પ્રમુખ સુખરામ બાપુ (માનસ સુંદર) અને મોરબીના ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરીના સંયુક્ત આયોજનથી હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં શ્રી સુખરામ બાપુ (માનસ સુંદર) મોરબી વાળા વ્યાસ પીઠ ઉપરથી તા ૧૬/૧૧ થી તા ૨૨/૧૧ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીકૃષ્ણજન્મ મહોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોરબી અયોધ્યાપુરી તથા હરિદ્વાર વિષ્ણુ ધામઆશ્રમના મહંત અને સુખરામ બાપુના ગુરુ વિષ્ણુદાસ મહારાજ અને મોરબીથી ખાસ આવેલા સેલટેક્ષ વાળા ચીખલીયાભાઈ તેમજ મોરબી રામાનંદ સાધુ સમાજના આગેવાન ભરતભાઈ નિમાવત, મોરબી ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તેમજ મોરબી ગોસ્વામી સમાજના કારોબારી સભ્ય વકીલ કમલેશભાઈ ગોસ્વામી, રાહુલ નિમાવત, શિવમ નીમાવત, વિક્રમભાઈ જીલરીયા, નિતેશભાઇ શુકલ, કમલેશભાઈ, ભગીરથભાઈ વર્મા, મહેશભાઈ પરમાર, મધુબેન પરમાર, સવિતાબેન, નર્મદાબેન અને દલસુખ ધામેચા સહિતના હાજર રહ્યા હતા