મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલ સગીરનું મોત બનાવ હત્યામાં પલટાયો: લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર


SHARE













મોરબીના શનાળા ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલ સગીરનું મોત બનાવ હત્યામાં પલટાયો: લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કા

મોરબી નજીકના શકત શનાળા ગામે અગાઉ થયેલી મારામારી અને ઝઘડાનો રોષ રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. અને ધોકા-પાઇપથી એક  પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે અને હાલમાં મૃતકના પરિવારે લાશ લેવાનો ઇન્કાર કર્યો છે અને હજુ બીજા આરોપીને પકડવાના બાકી છે તેને પકડવામાં આવે ત્યાર પછી લાશ લેશે તેવું કહી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, ભોગ બનેલ પરિવાર દ્વારા નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તમામ આરોપીઑની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા થોડા દિવસો પહેલા એક જ પરિવારના ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રાહુલ મહેશ સોલંકીદેવુબેન બાબુભાઈ સોલંકીબાબુભાઈ આંબાભાઈ સોલંકી અને નીતિન મહેશભાઈ સોલંકીને ઇજા થતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે પૈકી રાહુલદેવુબેન અને બાબુભાઈને વધુ ઇજા હોય રાજકોટ ખસેડાયા હતા ત્યાર બાદ બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલાપ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલાઅશ્વીન રવજીભાઇ વાઘેલાપંકજ પ્રેમભાઈ વાઘેલાનિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકીમનોજ ધનજીભાઇ સોલંકીગોવીંદ મનસુખભાઇ વાઘેલામયુર કાંતીભાઇ વાધેલા અને માનવ બચુભાઇ સોલંકી રહે.બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, ગઇકાલે રાતે આઠ વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત રાહુલ મહેશ સોલંકી (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે અને હાલમાં મૃતકના પરિવારજન દ્વારા આરોપી પ્રકાશ મનસુખભાઇ વાઘેલા અને સોમીબેન મનસુખભાઇ વાઘેલાની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતક સગીરની લાશને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે તેવું હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી જાણવા મળી રહ્યું છે






Latest News