હળવદ નજીક મચ્છીની પાર્ટી કરવા ગયેલા મિત્રો વચ્ચે ઝઘડો થતા યુવાનની હત્યા: ગુનો નોંધાયો
મોરબીના શનાળા ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલ સગીરનું મોત બનાવ હત્યામાં પલટાયો: લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર
SHARE
મોરબીના શનાળા ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલ સગીરનું મોત બનાવ હત્યામાં પલટાયો: લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર
મોરબી નજીકના શકત શનાળા ગામે અગાઉ થયેલી મારામારી અને ઝઘડાનો રોષ રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. અને ધોકા-પાઇપથી એક જ પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે અને હાલમાં મૃતકના પરિવારે લાશ લેવાનો ઇન્કાર કર્યો છે અને હજુ બીજા આરોપીને પકડવાના બાકી છે તેને પકડવામાં આવે ત્યાર પછી લાશ લેશે તેવું કહી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, ભોગ બનેલ પરિવાર દ્વારા નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તમામ આરોપીઑની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે
મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા થોડા દિવસો પહેલા એક જ પરિવારના ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રાહુલ મહેશ સોલંકી, દેવુબેન બાબુભાઈ સોલંકી, બાબુભાઈ આંબાભાઈ સોલંકી અને નીતિન મહેશભાઈ સોલંકીને ઇજા થતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે પૈકી રાહુલ, દેવુબેન અને બાબુભાઈને વધુ ઇજા હોય રાજકોટ ખસેડાયા હતા ત્યાર બાદ બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમભાઈ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાધેલા અને માનવ બચુભાઇ સોલંકી રહે.બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, ગઇકાલે રાતે આઠ વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત રાહુલ મહેશ સોલંકી (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે અને હાલમાં મૃતકના પરિવારજન દ્વારા આરોપી પ્રકાશ મનસુખભાઇ વાઘેલા અને સોમીબેન મનસુખભાઇ વાઘેલાની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતક સગીરની લાશને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે તેવું હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી જાણવા મળી રહ્યું છે