મોરબીમાં જય સિદ્ધનાથ એજ્યુકેશન સંગઠનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું
SHARE
ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું
ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચે તેના પદ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે જેથી કરીને હાલમાં ઉપસરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે
ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે તેના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે અને હાલમાં ટીડીઓએ રાજીનામુ મંજુર કરવાનો હુકમ કરી દીધેલ ચેજેથી કરીને સરપંચનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સીણોજીયાને આપવાનો હુકમ કરેલ છે અને સજનપરના મહિલા સરપંચ રીનાબેને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, લોકોમાં થતી ચર્ચા મુજબ રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામું આપ્યું છે. અને અત્યાર સુધીમાં ટંકારા તાલુકાનાં ઘણા ગામના સરપંચોએ રાજીનામ આપેલ છે ત્યારે આ સિલસિલો કયા જઈને અટકશે તે સૌથી મોટો સવાલ છે