ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવણીયાથી જન્મદિવસના પ્રસંગમાં હાજરી દેવા જતા પરિવારને નડ્યો અકસ્માત: દંપતિ ખંડિત, યુવાન અને તેને બે સંતાનોના મોત


SHARE













માળીયા (મી)ના વાવણીયાથી જન્મદિવસના પ્રસંગમાં હાજરી દેવા જતા પરિવારને નડ્યો અકસ્માત: દંપતિ ખંડિત, યુવાન અને તેને બે સંતાનોના મોત

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના ગામે રહેતો શ્રમજીવી પરિવાર બાઈક ઉપર વવાણીયા ગામથી પીપળીયા ચાર રસ્તા તરફ આવી રહ્યો હતો દરમિયાન નાના દહીસરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત બન્યો હતો અને તેમાં બાઇક ચલાવી રહેલ યુવાન તથા તેના એક દીકરો અને એક દીકરીનુ મોત નિપજયુ હતુ જોકે બાઈકમાં તેની સાથે બેઠેલી યુવાનની પત્ની અને એક બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીની સિવિલ ખાતે આપવામાં આવ્યા બાદ બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયેલ છે જેથી માળીયા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હિટ એન્ડ રનનો એક બનાવો મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે બન્યો હોવાની માહિતી હાલમાં પોલીસ પાસેથી જાણવા મળી રહી છે અને પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ગામે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર સરુભાઈ કુશવહ (૩૫) તેના પત્ની અને ત્રણ સંતાનો સાથે પોતાના બાઈક નંબર જીજે ૩ બીડી ૫૬૨૦ ઉપર વવાણીયા ગામ થી પીપળીયા ચાર રસ્તા તરફ રાત્રિના ૧૧;૩૦ વાગ્યાની અરસામાં આવી રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૫) તેના દિકરા શુભ કલ્પેશભાઇ કુશવાહ (૨) અને દિકરી પરી કલ્પેશભાઈ કુશવાહ (૫)ને ગંભીર ઇજા થઈ હોવાના કારણે મોત નીપજ્યા હતા

જો કે, બાઈક ઉપર બેઠેલ કલ્પેશભાઈના પત્ની લક્ષ્મીબેન કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૦) તેમજ તેની બે વર્ષની એક દીકરીને ગંભીર ઇજા થયો હોવાથી તે બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે બંનેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે અને જીવલેણ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મૃત્યુના આ બનાવની પોલીસે નોંધ કરીને મૃતક યુવાનના પરિવારજનમાંથી ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે અને અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી ગયેલા વાહન ચાલકને શોધવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો અને તે મૂળ એમપીનો રહેવાસી છે અને પીપળીયા ચાર રસ્તા પાસે તેઓના કોઈ કુટુંબીના સંતાનોનો જન્મદિવસ હોય ત્યાં તે હાજરી આપવા માટે થઈને આવી રહ્યા હતા દરમિયાન અકસ્માતનો આ બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવના કારણે દંપતી ખંડિત થયુ છે તેમજ દીકરીએ તેના પિતા અને ભાઈ તેમજ બહેનને ગુમાવ્યા છે આ ગોઝારા અકસ્માતના કારણે હાલમાં શ્રમજીવી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે






Latest News