મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના કેન્દ્ર સચિવની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ


SHARE













મોરબી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના કેન્દ્ર સચિવની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ

સરકારની તમામ યોજનાના લાભ તેમજ આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા. ૨૩/૧૧ થી મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીની વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં સચિવ હેમંતકુમાર મીનાએ ગામડાઓમાં જે લોકો સરકારી યોજનાઓથી વંચિત હોય તેવા લોકોનો સર્વે કરી તેમને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું. વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સાફલ્ય ગાથા અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપી લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગામડાઓમાં રથ આવે તે પહેલા ત્યાં તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ત્યારે કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા તમામ ગામડાઓમાં રથ પરિભ્રમણ કરી લોકોને અનેક યોજનાઓથી લોકોને લાભાન્વિત કરશે. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપી સચિવ હેમંતકુમાર મીનાને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તા. ૨૩/૧૧ થી મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિધિવત પ્રારંભ થશે. જિલ્લામાં આવેલા ત્રણ રથ અનુક્રમે મોરબી તાલુકાના બંધુનગર, માળીયા તાલુકાના કુંતાસી અને વાંકાનેર તાલુકાના સરતાનપરથી રથ પ્રસ્થાન કરશે.

સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત ગામડાઓમાં રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે સચિવ હેમંતકુમાર મીના સાથે કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર દુદખીયા અને એન.ડી. કુગસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News