મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતના ઈન્ચાર્જ તરીકે નિમણુંક


SHARE









રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતના ઈન્ચાર્જ તરીકે નિમણુંક

દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા  બે તબક્કામાં શરૂ કરી રહી છે, આ યાત્રા દેશના તમામ જિલ્લાઓની ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારોમાં આવશે આ યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આદિવાસી ગૌરવ દિવસ ૧૫ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડના રાંચીથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ૨૧ રાજ્યોના ૬૮ આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં ૨.૦૫ લાખ ગ્રામ પંચાયતોમાં પ્રચાર અભિયાન તરીકે ચાલશે બીજા તબક્કામાં આ યાત્રા પ્રદેશના તમામ જિલ્લાઓમાં  ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ચાલશે. મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્ય સહિત પક્ષના તમામ હોદેદારો યાત્રામાં જોડાશે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સાહિત્યનું વિતરણ કરવામાં આવશે, સરકારી યોજનાઓના ફોર્મ ભરાવવા વિકસિત ભારત અંગે પ્રતિજ્ઞા લેવડાવી, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે કાર્યક્રમો કરવામાં આવશે,આ સમગ્ર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે મોરબીના પનોતા પુત્ર અને પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની નિમણુંક થતા મોરબીનું ગૌરવ વધારવા બદલ તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે






Latest News